વિધિના નામે છેતરપિંડી કરનાર બે શખ્સને ઝડપી પાડતી મોરબી એલસીબી
હળવદ ના આલાપ રોડ પર રહેતા વૃદ્ધને વિધિ કરાવવાનું કહી વિશ્વાસમાં લઈ રોકડ રકમ રૂ.૩૯,૨૦૦/- ની છેતરપિંડી કરેલ હોય ત્યારે મોરબી એલસીબી એ બંને આરોપીને ઝડપી પાડયા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ આજથી બે દીવસ પહેલા હળવદ ના સરારોડ ઉપર આવેલ આલાપ સોસાયટીમાથી એક વ્રૂધ્ધને પોતે ભુવા હોવાનુ જણાવી ચા પીવાનુ કહી વીશ્વાસમા લઇ તમારા ઘરમા નડતર છે જેના લીધે તમે દુખી છો તેવુ જણાવી તમારે વીધી કરવાથી નડતર દુર થશે અને અમે તમને આ વીધી કરી આપીસુ એમ કહી વિશ્વાસમા લઇ વીધી કરી આપવાના બહાને વીશ્વાસમા લઇ છેતરપીંડી કરી તેમની પાસે રહેલ રોકડા રૂ.૩૯,૨૦૦/- હોય જે લઇને પોતાનુ મો.સા. સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજીસ્ટ્રેશન નંબર GJ-03-NA-9498 વાળુ લઇને ત્યાથી ભાગી ગયેલ હોવાનું જણાઇ આવતા રોકડા રૂ.૩૯,૨૦૦/- તથા ગુનામા વપરાયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ કિ.રૂ. ૫૦,૦૦૦/- વાળા સાથે કુલ મુદામાલ કિ.રૂ. ૮૯,૨૦૦/- સાથે આરોપી દીપકનાથ નારાયણનાથ ધાંધુ (નાથબાવા) ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે.શીવનગર સોસાયટી,વીંછીયા રોડ,જસદણ તા.જસદણ જી.રાજકોટ તથા રોહીતનાથ ભગવાનનાથ ધાંધુ (નાથબાવા) ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે.શીવનગર સોસાયટી,વીંછીયા રોડ,જસદણ તા.જસદણ જી.રાજકોટ વાળાને ત્રાજપર ચોકડી નજીક થી ઝડપી પાડવામાં આવેલ છે. ત્યારે હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.