મોરબી તાલુકાના વાંકાનેર નગરપાલીકામાં છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોય અને અત્યાર સુધી ઇન્ચાર્જથી કામ ચલાવાતું હોય જેથી આ બાબતે આજે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી દ્વારા રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાને લેખીતમાં રજૂઆત કરી તાત્કાલિક કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.
વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી અને મહામંત્રી કે. ડી. ઝાલા દ્વારા મોરબી સર્કિટ હાઉસ ખાતે રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રૂબરૂ મળી વાંકાનેર નગરપાલિકામાં નવા ચીફ ઓફિસરની કાયમી ધોરણે નિમણૂક કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. વાંકાનેર શહેરમાં અનિયમિત સાફ સફાઈ અને અનિયમિત પાણીના પ્રશ્નો, સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો, રોડ રસ્તાના સહિતના પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિકાલ સહિતની કામગીરી કરવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી.