આગામી તા.15 માર્ચના રોજ યોજાનારા લોકદરબારમાં ઉધોગપતિઓ, સરપંચ, સામાજિક આગેવાનો હાજર રહેવા અનુરોધ
મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા આગામી તા.15માર્ચના રોજ મોરબી તાલુકાના બગથળા ગામે આઉટ પોસ્ટ પોલીસ ચોકી ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.જિલ્લા પોલીસવડા કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા.15માર્ચના રોજ બગથળા ખાતે આવેલ આઉટ પોસ્ટમાં સાંજે 5 વાગ્યે જિલ્લા પોલીસવડાની આગેવાની હેઠળ લોકદરબાર રાખવામાં આવ્યો છે.જેથી તમામ ઉધોગપતિઓ, સરપંચ, સામાજિક આગેવાનોને લોકદરબારમાં હાજર રહેવા અનુરોધ કરાયો છે. આ લોકદરબારમાં નાગરિકો લેખિત મૌખિક સ્વરૂપે પોલીસ ખાતાને લાગતી રજૂઆત અને સૂચનો પણ કરી શક્શે.