Tuesday, April 22, 2025

મોરબીના ત્રાજપર ખારીમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ત્રાજપર ખારીમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના ત્રાજપર ખારીમા રામજી મંદિરની બાજુમાંથી આધેડનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે આવેલ ત્રાજપરખારીમા રામજી મંદિરની બાજુમાં રહેતા વેલજીભાઈ બીજલભાઈ હણ (ઉ.વ.૪૬) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એમ-૯૨૭૩ જેની કિંમત રૂ.૨૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW