મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું ગુજરાત ગૌરવ યાત્રામાં સ્વાગત કરાયું

મોરબી: મોરબી ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પિયુષભાઇ ગોયલ , સાસંદ મોહનભાઇ કુંડારીયા , રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા ,જયંતિભાઇ કવાડીયા તેમજ ભરતભાઇ બોઘરા પઘારેલ, આ તકે બહોળી સંખ્યામા સીરામીક ઉધોગકાર દ્રારા હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવ્યુ હતુ.

સિરામિક ઈન્ડસ્ટ્રીઝના એન્ટીડંમ્પીંગ ડ્યુટીના પ્રશ્ર્નો માટે સતત પ્રયત્નો કરીને હંમેશા ઉધોગના હિતોની ચિંતા કરતા કેન્દ્રીય મંત્રી પિયુષભાઇ ગોયલ અને સાસંદ મોહનભાઇ કુડારીયા તેમજ રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજાનો મોરબી સીરામીક મેન્યુ. એસોસિએશન અંત:પુર્વક આભાર માન્યો હતો.


