નવલખી રોડ પર પરિણીતા ના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યા બાદ પોતાના ઘેર બોલાવી જાન થી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચાર્ય હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર રહેતા પરિણીતાના ઘરમા ઘુસી આરોપી સુલતાન નામના શખ્સે બળજબરીથી એક વખત શરીર સંબંધ બાંધ્યા બાદ બીજી વખત આરોપીએ પરિણીત મહિલાને પોતાના ઘેર બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે