Tuesday, April 22, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૩ જાન્યુઆરીના રોજ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૩ જાન્યુઆરીના રોજ યોજાશે

લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી તા.૨૩/૦૧/૨૦૨૫ના રોજ સવારે ૧૧ વાગ્યે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી, ખંભાળિયા ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત હોય તો અરજી કરી શકાશે. અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે. અરજદાર જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઇ રજૂઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહિ. અરજદારો કચેરીમાં તા.૧૦/૦૧/૨૦૨૫ સુધી પ્રશ્નો રજૂ કરી શકશે તેમ નિવાસી અધિક કલેકટરશ્રી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW