Thursday, April 24, 2025

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ

Advertisement
Advertisement
Advertisement

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ

દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી છે. તપાસ એજન્સીએ કેજરીવાલની પૂછપરછ બાદ ધરપકડ કરી છે.

બીજી તરફ કેજરીવાલના નિવાસસ્થાનની બહાર પોલીસનો કાફલો પણ તહેનાત કરાયો છે. આ સિવાય 144ની કલમ પણ લાગુ કરી દેવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને આપ પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

ઈડીની ટીમ દ્વારા કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી નેતાઓ સહિત કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં પહોંચી ગયા છે. ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે. કેજરીવાલના ઘરે ઈડી પહોંચ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ પણ ત્યાં પહોંચી ગયા છે. જોકે તેમને ઘરમાં જવા દેવાયા નથી. આ દરમિયાન ભારદ્વાજે કહ્યું કે, ઈડીની ટીમે કેજરીવાલની ધરપકડની તૈયારી કરી છે. ત્યાં પહોંચેલા દિલ્હી કેબિનેટ મંત્રી અતિશીએ કહ્યું કે, કોર્ટે દ્વારા નોટિસ જારી કરાયાના એક કલાકની અંદર ઈડી તેમના નિવાસસ્થાને પહોંચી છે. આના પરથી લાગી રહ્યું છે કે, ઈડી સ્વતંત્ર તપાસ એજન્સી નહીં, પરંતુ ભાજપનું રાજકીય હથિયાર છે.

તમને જણાવી દઈએ કે, ઈડી દિલ્હી લિકર પોલિસી કેસમાં તપાસ કરી રહી છે. ઈડીએ અત્યાર સુધીમાં કેજરીવાલને 9 સમન્સ મોકલ્યા હતા, પરંતુ એક પણ વખત હાજર થયા નથી.

કેજરીવાલને હાજર થવું પડશે : હાઈકોર્ટ

નોંધનીય છે કે ઈડીના સમન્સ પર કેજરીવાલ પૂછપરછ માટે હાજર થઈ રહ્યા ન હતા, તેમણે કોર્ટ પાસે ખાતરી માંગી હતી કે જો તેઓ પૂછપરછ માટે જાય તો તેમની ધરપકડ ન કરવામાં આવે. મુખ્યમંત્રી કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કેજરીવાલ પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થશે, પરંતુ ઈડીએ કોર્ટમાં એમ કહે કે તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કે આના પર કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.

વચગાળાની રાહત માટેના આદેશને નિયમ ન ગણી શકાય: ઈડી

આ દરમિયાન ઈડી વતી કહેવામાં આવ્યું હતું કે તમે વચગાળાના આદેશને પૂર્વ પુરાવા તરીકે લઈ શકતા નથી. સુરક્ષા પ્રદાન કરવા માટે આપવામાં આવેલા આદેશોનો ઉલ્લેખ કરતા એએસજીએ કહ્યું કે વચગાળાની રાહત માટેના આદેશને નિયમ તરીકે ગણી શકાય નહીં. કોર્ટે ઈડીને પૂછ્યું કે તમે એક પછી એક સમન્સ મોકલી રહ્યા છો! તો તમે ધરપકડ કેમ ન કરી? કોણ રોકે છે? ઈડીના વકીલ એએસજી એસવી રાજુએ જવાબ આપતા કહ્યું હતું કે ‘ખબર નહીં મુખ્યમંત્રીને કોણે કહી દીધુ કે અમે તેમની ધરપકડ કરવા માટે બોલાવી રહ્યા છીએ.’

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW