આ કેઇસની વિગત એવી છે કે મોરબીના વતની રાજેશભાઇ વલ્લભભાઇ બારૈયા એ પોતાની વીટારા બ્રેજા કાર ૨૦૧૭ ની સાલમાં ખરીદી કરેલ અને ત્યારથી રેગયુલર વીમો બજાજ એલીન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ કશું માં વીમો ભરતાં આ તા.ઃ૨૧-૦૫-૨૦૨૩ નાં રોજ તેમની કાર ઉમા ટાઉનશીપ બહાર વીજું પીસે સાથે ટકરાતા કારને ઘણુ નુકશાન થયેલ તેમણે તાત્કાલીક મારૂતીના ડીલર ને જાણ કરેલ અને ડીલરે વીમા કંપની ને જાણ કરેલ વીમાના કાગળો આર.સી. બુક લાયન્સન્સ બધુ સમયસર રજુ કરેલ પરંતુ વીમા કંપની એ એવુ જણાવેલ કે ગાડી ચલાવનાર ગીરધરભાઇ અધારા પાસે જે લાયસન્સ તે રીન્યુ કરાવેલ નથી માટે વીમો મળે નહી નામદાર કોર્ટ કહયુ કે ગીરધરભાઈએ લાયન્સ રીન્યુ માટે ઓન લાઇન અરજી કરેલ છે તે કારણ ચાલે નહી ગ્રાહકે વીમો ભરેલ છે માટે વીમા કંપનીને રૂા.૩,૦૯,૨૦૦ કુલ ખર્ચ ના રૂા. ૫,૦૦૦/- માનસી ત્રાસ ના ૧૦,૦૦૦/ • અન્ય ખર્ચ કુલ રૂ।. ૩,૨૪,૨૦૦/- ચુકવવા તા.ઃ-૪/૦૮/૨૦૨૩ થી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો સંપર્ક કરો લાલજીભાઇ મહેતા મો. ૯૮૨૫૭ ૯૦૪૧૨, બળવંતભાઇ ભટ્ટ મો. ૯૩૨૭૪ ૯૯૧૮૫, રામભાઇ મહેતા મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮