Saturday, April 19, 2025

ESIC દ્વારા મોરબી, મેહસાણા અને હાલોલ (પંચમહાલ)માં હોસ્પિટલો ખોલવા ભલામણ…

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ESIC ગુજરાતની 88ી રિજીયોનલ બોર્ડ મીટિંગ બ્રિજેશકુમાર મેરજા, માનનીય મંત્રી, શ્રમ અને રોજગાર, ગુજરાત સરકારની અધ્યક્ષતામાં સરસ્વતી હોલ, સ્વર્ણિમ સંકુલ-2, સચિવાલય, ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાઈ, એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન(ESIC) એ એક અગ્રણી સામાજિક સુરક્ષા સંસ્થા છે જે વ્યાપક સામાજિક સુરક્ષા લાભો પ્રદાન કરે છે જેમ કે તબીબી સંભાળ અને રોજગારની ઇજા, માંદગી, મૃત્યુ વગેરે જેવા જરૂરિયાતના સમયે રોકડ લાભોની શ્રેણી, ESI યોજનાનું નિરીક્ષણ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય અને રાજ્ય સરકારોના સમર્થન દ્વારા કરવામાં આવે છે.

બેઠકમાં હાજર રહેલા અન્ય મહાનુભાવો ઘીસુલાલ બી. કલાલ (માનનીય સભ્ય, રીજીઓનાલ બોર્ડ), ડૉ. નીતિન વોરા (માનનીય સભ્યશ્રી, રીજીઓનાલ બોર્ડ), અંજુ શર્મા (અગ્ર સચિવ, શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સર હાર્દિક ભટ્ટ (નિયોજક પ્રતિનિધિ), રત્નેશ કુમાર ગૌતમ (અધિક કમિશ્નર અને ક્ષેત્રીય નિયામક, ESIC ગુજરાત) અને અન્ય સભ્યો

રીજિયોનલ બોર્ડ મીટીંગને સંબોધતા મંત્રી, શ્રમ અને રોજગાર, ગુજરાત સરકારના બ્રિજેશકુમાર મેરજા એ સૂચિત કર્યું કે શ્રીમતી ભાવિના પટેલ, ટોક્યો પેરાલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ (ESIC ગુજરાતની કર્મચારી)નું દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. . તેણીની સિદ્ધિને સભ્યોએ બિરદાવી હતી. ‘ESIC કોવિડ–19 રાહત યોજના’ હેઠળ, બ્રિજેશકુમાર મેરજા મંત્રી, શ્રમ અને રોજગાર, ગુજરાત સરકાર એ કોવિડ-19ને કારણે જીવ ગુમાવનાર વીમાધારક વ્યક્તિઓ (IPS) ના આશ્રિતોને ચેકનું વિતરણ કર્યું.

રત્નેશ કુમાર ગૌતમ, અધિક કમિશનર અને પ્રાદેશિક નિયામક,ગુજરાત એ જણાવ્યું હતું કે, ESIC એ કોવિડ રોગચાળા દરમિયાન વીમાધારક કામદારો અને તેમના પરિવારના સભ્યોને નાણાકીય રાહત અને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે અટલ બિમિત વ્યકિત કલ્યાણ યોજના હેઠળ ચૂકવવાપાત્ર બેરોજગારી રાહતનો દર કોવિડ-19 પ્રેરિત લોકડાઉનને કારણે બેરોજગાર બનેલા વીમાધારક કામદારોને લાયકાતના માપદંડોમાં છૂટછાટ સાથે સરેરાશ વેતનના 25% થી વધારીને 50% કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ESIC એ ‘ESIC COVID-19 રાહત યોજના’ નામની નવી યોજના શરૂ કરી છે જે કોવિડ-19ને કારણે જીવ ગુમાવનાર વીમાધારક વ્યક્તિઓના આશ્રિતોને આજીવન માસિક પેન્શન પૂરું પાડે છે..

ગુજરાત રાજ્યમાં EST યોજના

ગુજરાત રાજ્યમાં વર્ષ 1964 માં ESI યોજનાની શરૂઆત થઇ હતી જેમાં, ESI યોજના હાલમાં 33 જિલ્લાઓમાંથી 19 જિલ્લામાં અમલમાં છે. વડોદરા જિલ્લો સંપૂર્ણ રીતે અમલમાં છે જ્યારે અન્ય 18 જિલ્લામાં આંશિક રીતે અમલમાં છે. રાજ્યમાં ESI કાયદાની જોગવાઈઓ હેઠળ કુલ 70252 કારખાનાઓ/સંસ્થાઓ આવરી લેવામાં આવ્યા છે અને 17.85 લાખ વીમાધારક વ્યક્તિઓને લાભો પૂરા પાડવામાં આવે છે. વીમાધારક વ્યક્તિઓ અને તેમના આશ્રિતોને રોકડ લાભ 31 બ્રાન્ચ ઑફિસ અને 03 ડિસ્પેન્સરી-કમ-બ્રાન્ચ ઑફિસો દ્વારા આપવામાં આવે છે. ESIC દ્વારા સીધા સંચાલિત 4 ESIC મોડેલ હોસ્પિટલો, ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 7 ESIS હોસ્પિટલો, ESIC દ્વારા સંચાલિત 3 DCBOS અને ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 103 ESI દવાખાનાઓ દ્વારા તબીબી લાભ આપવામાં આવે છે. સેકન્ડરી કેર અને સુપર સ્પેશિયાલિટી ટ્રીટમેન્ટ અને તપાસ માટે પણ આ પ્રદેશમાં સંખ્યાબંધ નર્સિંગ હોમ્સ/હોસ્પિટલો/ડાયગ્નોસ્ટિક સેન્ટરો સાથે જોડાણની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,076

TRENDING NOW