Tuesday, April 22, 2025

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદી નુ વિતરણ કરવામાં આવશે.

Advertisement
Advertisement
Advertisement

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદી નુ વિતરણ કરવામાં આવશે.

જલારામ મંદિર ખાતે શુધ્ધ ઘી ના અડદીયા, બદામપાક, ગુંદરપાક, મમરા ના લાડું તથા વિવિધ પ્રકાર ની ચીકી નુ રાહતદરે વિતરણ અવિરત ચાલુ

પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલ માંથી બનેલ ઉંધિયા વિતરણ નુ આયોજન કરવા મા આવેલ છે. મોરબી જલારામ મંદિર ના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવા માં આવશે તેમજ ડ્રાઈફ્રુટ થી ભરપુર બાસુંદી નુ વિતરણ કરવા માં આવશે. ઉંધિયુ પ્રતિકીલો રૂ.૨૦૦ ના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો રૂ.૩૦૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે. બંને વસ્તુઓ ૫૦૦ ગ્રામ પેકિંગ માં પણ ઉપલબ્ધ રહેશે. ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.૧૪-૧-૨૦૨૫ મંગળવાર મકરસંક્રાંતિ ના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે થી થશે. ઉંધિયુ તથા બાસુંદી મેળવવા એડવાન્સ બુકિંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ નો સંપર્ક કરવા સંસ્થા ના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી તથા ચિરાગભાઈ રાચ્છે યાદી મા જણાવ્યુ છે.

નોંધઃ- મર્યાદીત જથ્થા માં જ ઉંધિયુ તેમજ બાસુંદી નું વિતરણ કરવાનું હોય વહેલી તકે બુકીંગ કરાવવુ આવશ્યક છે.

શુધ્ધ ઘી ના ડ્રાઈફ્રુટ થી ભરપુર અડદીયા, બદામપાક, ગુંદરપાક તથા વિવિધ પ્રકારની ચીકી, મમરા ના લાડું સહીતની વસ્તુઓ મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW