મોરબીના પંચાસર રોડ પર રાજનગર સંગાથ પેલેસ ફ્લેટ નં -૫૦૧ માં રહેતા જયદીપભાઈ લાલજીભાઇ માણસુરીયા (ઉ.વ.૩૬) એ આરોપી જયસુખભાઇ ઉર્ફે જશાભાઈ મિયાત્રા રહે. શક્ત શનાળા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી છરી બતાવી ફરીયાદીના એક્સીસ બેંકના બે કોરા ચેક પડાવી લઈ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીના પત્નિને વ્યાજના પૈસાની ઉઘરાણી બાબતે ફડાકા મારી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.