સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી શ્રી દ્વારકાધીશ મંદીર બેટ સુધી ભારે વાહન તથા ખાનગી બસો પર પ્રતિબંધ લગાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ આજથી (તા.૨૨-૦૮-૨૦૨૪)થી તા. ૨૭-૦૮-૨૦૨૪ સુધી સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી શ્રી દ્વારકાધીશ મંદીર બેટ સુધી ભારે વાહન, ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અથવા પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાની કચેરી દ્વારા પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં.
આ આદેશોનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે