વાંકાનેર :- સિરામિક ફેકટરીમાં ગળેફાંસો ખાઈ શ્રમિકએ જીવન ટુંકાવ્યું.
વાંકાનેર ના વઘાસિયા ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા એક શ્રમિકએ અગમ્ય કારણોસર મજૂરની ઓરડીમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. ત્યારે આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે આવેલ એક્યુટોપ સિરામિક ફેકટરીમાં કામ કરતા લાલસિંગ શ્યામલાલ આહીરવાલ નામના શ્રમિક યુવાને અગમ્ય કારણોસર કારખાનાની મજૂરની ઓરડીમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.