Thursday, April 24, 2025

ધંધુકામાં યુવાનની હત્યા મામલે મોરબીમાં હિન્દુ સંગઠનોની રેલી નિકળી

Advertisement
Advertisement
Advertisement

અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલી હત્યાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે આ યુવાનની હત્યાના વિરોધમાં આજે મોરબીમાં સમસ્ત હિન્દૂ સંગઠન સહીતના તમામ હિન્દૂ સંગઠનો દ્વારા આજે રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોરબીના સામાકાંઠે એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડથી સોઓરડીના નાકે આવેલ જિલ્લા સેવાસદન સુધી ભવ્ય રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં સ્વંયભુ મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને કિશનની હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. રેલી એકદમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.

જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાયને યુવકના હત્યારાઓ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથેસાથે જયશ્રી રામ અને ભારત માતા કી જય તેમજ કિશનને ન્યાય આપોની નારેબાજી લગાવી હતી. તેમજ કિશનને ન્યાય આપો અને તેના હત્યારાઓને કડક સજા આપો તેવી માંગ સાથે બેનરો પ્રદર્શિત કરીને કલેક્ટર કચેરીએ પહોંચી આ બનાવ અંગે આવેદન આપ્યું હતું અને આવેદનમાં કિશનના હત્યારાઓને સખ્તમાં સખત સજા આપવાની માંગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક મોરબી જિલ્લાની શહેર માલધારી સમાજ, એકતા એજ લક્ષ, રાજપૂત કરણી સેના, મહાકાલ ગ્રુપ, દલવાડી કનૈયા ગૃપ, રાજપૂત સમાજ ન્યુ સર્વે હિન્દુ સંગઠન સાથે મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW