ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ હેઠળની આઈ.ટી.આઈ મોરબીના આચાર્ય અને એક્સ.ઓફીસીઓની યાદી મુજબ મોરબી જિલ્લા કક્ષાનો તા.૩૧/૦૭/૨૦૨૧ ના શનિવાર ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યે વાંકાનેર આઈ. ટી. આઈ ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરેલ છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાની અલગ અલગ ૧૫ થી વધારે કંપનીઓ ભાગ લેશે .તેમજ આ ભરતી મેળામાં અંદાજે ૯૦ થી વધારે એપ્રેન્ટીસોની ભરતી કરવામાં આવશે. ભરતી મેળામાં ગ્રેજયુએટ/ડિગ્રી/ડિપ્લોમા/ આઈ.ટી.આઈ/ PMKVY શોર્ટ ટર્મ કોર્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જોડાઈ શકશે. ઉમેદવારે ભરતી મેળા માટે જરૂરી ડોકયુમેન્ટ (૧) આધાર કાર્ડ (૨) ગ્રેજયુએટ/ ડિગ્રી /ડિપ્લોમા /આઈ.ટી.આઈ/PMKVY શોર્ટ ટર્મ કોર્ષ ( શૈક્ષણિક લાયકાત મુજબ ) ની માર્કશીટ (૩) શાળા છોડયા નું પ્રમાણ પત્ર વગેરે સાથે લાવવાના રહેશે. એપ્રેન્ટીસોને નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત અનુસાર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે શજી.આર અજોલા ( AAA) -7490013873, એચ.આર.બોપલીયા ( AAA) – 7016639451 નો સંપર્ક કરવા જણાવેલ છે.