Tuesday, April 22, 2025

મોરબી સિવિલમાં હડકાયા કુતરાના ઇન્જેકશનમો જથ્થો ફાળવાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સામાજીક કાર્યકરોની રજુઆત રંગ લાવી : મોરબી સિવીલ હોસ્પિટલમાં 500 ઈન્જેક્શન ફાળવાયા

(જનક રાજા દ્વારા)

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ જી. બાંભણીયા દ્વારા હાલમાં કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી કે મોરબી, માળિયા, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકામાં અનેક જગ્યાએ હડકાયા કુતરાઓ માણસો તથા નાના છોકરા તથા ઢોરને બચકાં ભરી જાય તેવી ઘટનાઓ બને છે. ત્યારે મોરબીની સીવીલ હોસ્પીટલમાં જ છેલ્લા દોઢથી બે મહિનાથી હડકાયા કુતરાના ઇન્જેકશન ઉપલબ્ધ નથી જેથી લોકોને રાજકોટ જવાની ફરજ પડે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇન્જેકશના ૧૫૦૦થી ૨૦૦૦ રૂપીયા લેવામાં આવે છે. જે તમામને પરવડે તેમ નથી જેથી કરીને કલેકટર દ્વારા આર.એમ.ઓ.ને ભલામણ કરીને તાત્કાલિક સીવીલ હોસ્પીટલમાં હડકાયા કુતરા કરડ્યા હોય તે વ્યક્તિને આપવાના થતાં ઇન્જેકશનની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ઉપરોક્ત માંગને ધ્યાને લઈ મોરબી નિવાસી અધિક કલેકટર કેતનભાઈ જોષી એ તા:- 18/5/21 ના રોજ પત્રનં.: જનરલ/ફા.નં./12980488 થી આરએમઓ ને તાત્કાલિક ઈન્જેક્શન નો જથ્થો મંગાવવા ભલામણ કરવામાં આવતા મોરબી સિવીલ હોસ્પિટલના ઈન્ચાર્જ અધિક્ષક ડો. કે. આર. સરડવાએ ખાસ ઓર્ડર થી 500 જેટલા ઈન્જેક્શન ની વ્યવસ્થા કરવામાં આવતા સામાજીક કાર્યકરોએ અધિક નિવાસી કલેકટર કેતનભાઈ જોષી, અને હોસ્પિટલ ના ઈન્ચાર્જ અધિક્ષક ડો સરડવાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW