વાંકાનેરમાં આગામી તા. 30 એપ્રિલ સુધી શહેરની તમામ દુકાનો બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે જેમાં કાપડ, કરિયાણા, કટલેરી, સોની, કંસારા, પાન-મસાલા, મોબાઈલ એસોસિયેશનનાં પ્રમુખ દ્વારા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ છે. અને આ તમામ દુકાનો આવતીકાલ તા.19ના રોજ થી બપોરે 3 વાગ્યાબાદ સજજડ બંધ રાખવામાં આવશે અને આ નિર્ણયનો તમામ વેપારીઓએ ફરજીયાત પાલન કરવાનું રહેશે તેવું પ્રમુખોની યાદીમાં જણાવેલ છે.