Tuesday, April 22, 2025

ટંકારાના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના ગ્રામ્ય પંથકમાં લગ્ન કરવાના ઇરાદે ફોસલાવી એક શખ્શે સગીરાને ભગાડી ગયા હોવાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારાના ગ્રામ્ય પંથકમાં રહીને મંજુરી કામ કરતા પરિવારની 16 વર્ષિય દિકરીને ખાખરેચી ગામે રહેતો રાજુભાઇ મગનભાઈ દેગામા નામનો ઇસમ ગત તા.8 ના રોજ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયો હોવાની સગીરાના પિતાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદ પરથી ઇસમ વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,170

TRENDING NOW