મોરબી: આજના આધુનિકરણ અને શહેરીકરણને કારણે ચકલીઓ દિવસેને દિવસે લુપ્ત થતી જાય છે. વિશ્વમાં કુલ 169 પ્રકારની ચકલીઓ છે. જેમા ભારતમા 62 પ્રકારની ચકલીઓ જોવા મળે છે. આજે રોટરી કલબ ઓફ મોરબી દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત જીવદયાનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. જેમાં નિઃશુલ્ક ચકલી ઘરનું જાહેર વિતરણ મોરબીના શનાળા રોડ પર મહાવીર ફરસાણની બાજુમાં કરવામાં આવ્યું હતું. તેમાં મોરબી રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અબ્બાસભાઈ લાકડાવાલા,સેક્રેટરી રૂપેશ પરમાર (કવિ જલરૂપ), તેમજ પાસ્ટ પ્રેસિડન્ટ હરીશ ભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા.
