મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધતો જાય છે. ત્યારે મોરબીની તમામ ખાનગી, સરકારી હોસ્પિટલોમાં હાઉસફુલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીના પરિજનો નજીકના એવા જામનગર કે રાજકોટ તરફ સારવાર અર્થે દોડાદોડી કરી રહ્યા છે. ત્યારે ઘણી વખત ગરીબ અને મધ્યમવર્ગને ન પરવડે એવા વાહન ખર્ચાઓ સારવાર પૂર્વે જ લોકોની આર્થિક કમર ભાંગી નાંખે છે.
આવા કપરા સમયે મોરબીમાં લાઠી પ્લોટમાં પ્લાસ્ટિકનાં વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશભાઈ રામાવત અને કેતનભાઈ રામાવત નામનાં બે સેવાભાવી ભાઈઓએ કોરોનાના દર્દીઓ માટે મોરબીથી રાજકોટ-જામનગર જવા માટે નિઃશુલ્ક વાહનની સેવા શરૂ કરી સેવા પરમો ધર્મ સુત્રને સાર્થક કર્યું છે. બન્ને ભાઇઓએ મોરબી જિલ્લામાં વધતાં કોરોના કેશને લઇને માનવને માનવ મદદરૂપ બનવા જણાવ્યું હતું. અને કોરોના દર્દીઓ માટે રાજકોટ અથવા જામનગર જવાં માટે નિ:શુલ્ક કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર પોતાનું વાહન આ સેવામાં દોડાવશે. આ સેવાનો લાભ લેવા 9374242421, 96924222222 પર સંપર્ક કરવા જણાવાયું છે.