Wednesday, April 23, 2025

સુરેન્દ્રનગરના શહિદના પરિવારને નેસડા (ખા) ઉમિયા ગૌ શાળા ઢોલ-ત્રાસા મંડળ દ્વારા 1 લાખ અર્પણ

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)

ટંકારા: નેસડા(ખા) ગામના ઉમિયા ગૌ સેવા ઢોલ-ત્રાસા મંડળ દ્વારા ગામમાં અનેક સેવાકીય પ્રવુતિઓ થાય છે. આ મંડળ દ્વારા એક દિવસ એવો રાખવામાં આવે છે કે તે દિવસમાં એકઠી થયેલી તમામ રકમ શહીદ પરિવારને આપવામાં આવે છે. મંડળ દ્વારા વગાડેલ ઢોલ-ત્રાસાની એક દિવસની રકમ આ વર્ષે 1 લાખ રૂપિયા થયેલી હતી.

જે રકમ સુરેન્દ્રનગરના જિલ્લાના લીલાપુર ગામના વીર શહીદ કુલદીપ પટેલના પરિવારને અર્પણ કરી હતી. ગામના ઉમિયા ગૌ સેવા ઢોલ-ત્રાસા મંડળે આ ઉમદા કામગીરી થકી ગામના ગૌરવમાં એક પીછું વધુ ઉમેરી માનવતા મહેકાવી છે. સમસ્ત નેસડા(ખા) ગામ ઉમિયા ગૌ સેવા મંડળને શુભેચ્છાઓ પાઠવે છે.

Related Articles

Total Website visit

1,502,227

TRENDING NOW