મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જે મુલાકાતમાં તેઓએ પીએમ સાથે સંવાદ કરી તેમજ પ્રત્યક્ષ મુલાકાતથી નવી ઉર્જા મેળવી હતી સાથે જ જુના સંસ્મરણો વાગોળ્યા હતા આ તકે બ્રિજેશભાઈએ નરેન્દ્ર મોદીનું કચ્છી શાલ ઓઢાડીને પ્રમુખ સ્વામી મહારાજ સાથેના કલામજી સાથેના સંવાદોની પુસ્તક અર્પણ કરી હતી સાથે જ મંત્રી બ્રિજેશભાઈએ પોતાના પંચાયત, શ્રમ અને રોજગાર વિભાગની કામગીરી અંગે પીએમને સુમાહિતગાર કર્યા હતા