મોરબી: મોરબી વાવડી રોડ ઉપર મીલન પાર્કમાં મહીલા દાજી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર મિલન પાર્ક શેરી-૩ માં રહેતા રેશમાબેન અસલમભાઈ બોરસંખીયા (ઉ.વ.૨૫)નામની પરિણીતા ગઈકાલે તા.૧૬નાં રોજ કોઈ કારણોસર પોતાના ઘરે દાઝી જતા તેનું મોત નીપજ્યું હતું. મરણજનાર રેશમાબેનના લગ્નન ગાળો આઢી વર્ષ જેટલો હોવાનું જણાવ્યું છે. આ બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.