Friday, April 11, 2025

મોરબી જલારામ મંદિરના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદિવસની ઉજવણી કરતા કૃષિતભાઈ સુવાગીયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે. ત્યારે મોરબીના કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયા એ તેમના 29મા જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને કરી હતી.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના કૃષિતભાઈ સુવાગીયા એ સેવાકાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી.

Related Articles

Total Website visit

1,501,797

TRENDING NOW