મોરબીમાં ‘વર્લ્ડ ફિઝીયોથેરાપી ડે’ નિમિત્તે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે
મોરબી: જીઆઇડીસી રોડ પર આવેલ સ્વામિનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરને ખાતે 8 સપ્ટેમ્બર 2021 ‘વર્લ્ડ ફિઝીયોથેરાપી ડે’ નિમિત્તે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ (MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ દ્વારા સેવા આપવામાં આવશે. આ સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં 2000 થી વધુ દર્દીઓને સફળ સારવાર રાહતદરે લીધેલ છે. આ કેમ્પમાં સાયટીકા, ગાદી ખસવી, સાંધાના વા, ઘુંટણનો ઘસારો, કમર, ગરદન, ઢીંચણ, ખભા, એડીનો દુખાવો, ફેક્ચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, કમ્પવા, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગો, બેલેન્સ પ્રોબ્લેમ, તમાકુ કેંસરના ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર, ડિલીવરી પહેલા પછીની કસરતો તથા કોવિડ-૧૯ પછીની તફલીકો જેમકે શ્વાશની તફલીક કે સાંધાના દુખાવા જેવી સમસ્યાના દર્દીઓ લાભ લઈ શકશે. આ કેમ્પમાં ફાઇલ એક્સરે તથા રિપોર્ટ કરાવેલ હોય તેવા સાથે લાવવા. કેમ્પમાં સામેલ દર્દીઓને ભેટ આપવામાં આવશે. તેમજ રજીસ્ટ્રેશન માટે મો. 8160282456, 9898645670 સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.