Wednesday, April 23, 2025

મોરબીમાં ‘વર્લ્ડ ફિઝીયોથેરાપી ડે’ નિમિત્તે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ‘વર્લ્ડ ફિઝીયોથેરાપી ડે’ નિમિત્તે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે

મોરબી: જીઆઇડીસી રોડ પર આવેલ સ્વામિનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરને ખાતે 8 સપ્ટેમ્બર 2021 ‘વર્લ્ડ ફિઝીયોથેરાપી ડે’ નિમિત્તે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ (MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ દ્વારા સેવા આપવામાં આવશે. આ સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં 2000 થી વધુ દર્દીઓને સફળ સારવાર રાહતદરે લીધેલ છે. આ કેમ્પમાં સાયટીકા, ગાદી ખસવી, સાંધાના વા, ઘુંટણનો ઘસારો, કમર, ગરદન, ઢીંચણ, ખભા, એડીનો દુખાવો, ફેક્ચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, કમ્પવા, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગો, બેલેન્સ પ્રોબ્લેમ, તમાકુ કેંસરના ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર, ડિલીવરી પહેલા પછીની કસરતો તથા કોવિડ-૧૯ પછીની તફલીકો જેમકે શ્વાશની તફલીક કે સાંધાના દુખાવા જેવી સમસ્યાના દર્દીઓ લાભ લઈ શકશે. આ કેમ્પમાં ફાઇલ એક્સરે તથા રિપોર્ટ કરાવેલ હોય તેવા સાથે લાવવા. કેમ્પમાં સામેલ દર્દીઓને ભેટ આપવામાં આવશે. તેમજ રજીસ્ટ્રેશન માટે મો. 8160282456, 9898645670 સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW