Tuesday, April 22, 2025

મોરબીમાં ડો.ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ડો.ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી: આગામી 14મી એપ્રિલ 2024ને રવિવારના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તેમજ આધુનિક ભારતના સંવિધાનના રચયિતા એવા ભારતરત્ન બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મજયંતિના ઉપલક્ષે મોરબી જિલ્લા અનુ.જાતિ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. જેનો રુટ રેલ્વે સ્ટેશન રોડથી ત્રિકોણબાગ ત્યાંથી નેહરું ગેટ થઈને બાબા સાહેબની પ્રતિમા (મોરબી નગર પાલિકા) સુધીનો રહેશે. આ પ્રસંગે મહામાનવ એવા ડો.બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરવા તેમજ આ ભવ્ય શોભાયાત્રામાં જોડાવવા મોરબી જિલ્લા અનુ.જાતિ સમાજ, જિલ્લાના તમામ સમાજના ભાઈઓ, બહેનો અને વડીલોને આહવાન કરવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW