Thursday, April 24, 2025

મોરબીમાં એકતા એજ લક્ષ્ય દ્વારા અનોખી પહેલ: સાંસ્કૃતિક નવરાત્રીના આયોજકોને તલવાર ભેટ આપી પ્રોત્સાહિત કરાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં એકતા એજ લક્ષ્ય દ્વારા અનોખી પહેલ: સાંસ્કૃતિક નવરાત્રીના આયોજકોને તલવાર ભેટ આપી પ્રોત્સાહિત કરાયા

મોરબી: એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા એક અનોખી પહેલ સરું કરાઈ છે હાલ અત્યારે નવરાત્રીના પાવન પર્વ ચાલી રહ્યા છે ત્યારે આ તહેવારને આપણે શક્તિ ઉપાસનાના દિવસો તરીકે ઉજવીએ છીએ પરંતુ હાલ પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈ યુવાન યુવતીઓ પોતાનો વાસ્તવિક કલ્ચર ભૂલી રહ્યા છે ત્યારે અને અનેક પ્રકારના સંસ્કૃતિને નષ્ટ કરવાના થઈ રહ્યા છે ત્યારે શેરી ગરબા તથા સાંસ્કૃતિક ગરબા શ્રેષ્ઠ વિકલ્પ છે.

ફરીથી નવરાત્રીને સાચી ઓળખ માટે તો આ અનુસંધાને મોરબીમાં રોજ જે ત્રણથી ચાર એવી નવરાત્રી કે જે સાંસ્કૃતિક છે અથવા જે શેરી ગરબા છે ત્યાં શક્તિ સ્વરૂપે તલવાર ભેટ આપી તેના આયોજકો ને પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને શેરી ગરબા તથા સાંસ્કૃતિક ગરબા ને પ્રાધાન્ય મળે મોરબીમાં 15 આજુબાજુ આવા ગરબામા સંગઠન જય ઉત્સવ વધારશે આયોજકોનો અને તથા આ પહેલને સંગઠને નારો પણ આપ્યો છે અઢારે વરણ એક સાથે સાંસ્કૃતિક વારસા માટે સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથ સિંહ રાઠોડ દ્વારા આ પહેલ શરૂ કરાય છે જે હાલ મોરબી પૂર્તિ છે પરંતુ આગલા વર્ષે સમગ્ર ગુજરાતમાં આ પહેલ કરાશે.

Related Articles

Total Website visit

1,502,266

TRENDING NOW