Thursday, April 24, 2025

મોરબીમાં આવતીકાલે ગાયત્રીયજ્ઞનું આયોજન સાથે ઔષધિય વનસ્પતિના છોડનું નિ:શુલ્ક વિતરણ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત નિ:શુલ્ક યોગ શિબિરમાં આવતીકાલે તા. ૨૦ને રવિવારે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાકે ગોકુલનગર પ્રાથમિક શાળા એપોલો હોલ પાછળ શનાળા રોડ મોરબી ખાતે યોગ વર્ગમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગાયત્રી યજ્ઞમાં સર્વે યોગ સાધકો, યોગ સમર્થકો અને યોગ પ્રેમીઓને ઉપસ્થિત રહેવા યોગ પરીવાર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત સેવાભારતી દ્વારા સાંજે ૫ થી ૭ કલાકે ઔષધીય વનસ્પતિના છોડ તુલસી, અજમો કેક્ટસ તુલસી, બારમાસી, તીલક તુલસી, એલોવીરા, ચીનીગુલાબ, મીઠોલીમળો, અપરાજિત (શંખ પુષ્પી) ,ચણોઠિ, પાનફૂટી, ઝેડ પ્લાન્ટ,મની વેલ જેવા ગૃહઉપયોગી,સ્વાસ્થ્ય રક્ષક છોડનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે.

Related Articles

Total Website visit

1,502,303

TRENDING NOW