Friday, April 25, 2025

મોરબીની તાલુકા શાળા નંબર ૧ ના શિક્ષિકાનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીની તાલુકા શાળા નં.1 ના શિક્ષિકા ગોહિલ કૈલાસબા ભારતસિંહ વયનિવૃત્તિના કારણે નિવૃત્ત થતાં તેમનો શાળા પરિવાર તરફથી વિદાય સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ સોલંકી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી અને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર, મોરબી કેળવણી નિરીક્ષક અશોક વડાલિયા, ટંકારા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશ ગરચર, માળિયા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હૂંબલ, તાલુકા શાળા નંબર ૧ના સીઆરસી કો.ઓડીનેટર તથા મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજાની હાજરીમાં વિદાયમાન કૈલાસબાનું હવે પછીનું શેષજીવન આરોગ્યમય અને દીર્ઘાયુ વાળુ રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

ગોહિલ કૈલાશબા તરફથી શાળા પરિવારને યાદગીરી સ્વરૂપેમાં સરસ્વતીની મૂર્તિ ભેટ આપવામાં આવેલ હતી. શાળાના સ્ટાફ પરિવાર તરફથી શ્રીફળ,પડો, સાલ અને ભેટ આપીને વિદાય સન્માન આપવામાં આવેલ હતું. આ તકે શાળાના તમામ સ્ટાફ પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,502,386

TRENDING NOW