મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત.
મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ કેનાલમાં યુવક ડૂબી જતા તેનું મોતની પડ્યું હતું ત્યારે આ અંગે પોલીસ મથકમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મુજમ્મીલ અકરમભાઈ સીદીકી (ઉ.વ.૨૫) રહે. ઉત્તરપ્રદેશ વાળો ગઈ તા.૦૭-૦૨- ૨૦૨૩ ના રોજ સાંજના આશરે છએક વાગ્યાના સમયે મોરબી લગધીરપુર રોડ ઉપર આવેલ કેનાલમાં અકસ્માતે પડી ડુબી જતાં પાણીમાં જતા કેનાલના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું તેની લાશ કેનાલમાં તણાઇ જતા મચ્છુ-૨ ડેમમાં જતી રહેતા ડેમમાંથી મળી આવી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.