મોરબીના પર્યાવરણ પરિવાર દ્વારા મેઘાણી પ્રાથમિક શાળામાં ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મોરબીની અવની ચોકડી પાસે કેનાલ રોડ પર આવેલ મેઘાણી પ્રાથમિક શાળા ખાતે મોરબીના પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સમયે શાળાના પ્રિન્સિપાલ જે જે બાવરવા, શાળાનો શિક્ષક ગણ, પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર ધર્મિષ્ઠા, પરમાર રૂપેશ (કવિ જલરૂપ) તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.