મોરબી તાલુકાના પાનેલી ગામે માનસિક બીમારીથી કંટાળી જઈ 45 વર્ષીય જીતેન્દ્રભાઈ એ ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું ત્યારે મૃત્યુનોંધ કરી મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ જીતેન્દ્રભાઈ તેજાભાઈ સોલંકી (ઉ.વ.૪૫) રહે. પાનેલી ગામ તા. જી. મોરબીવાળા કોઈ પણ સમયે પોતાના ઘરે માનસિક બીમારીથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જતાં જીતેન્દ્રભાઈ નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.