Wednesday, April 23, 2025

પાલિતાણા ખાતે ગિરિરાજની યાત્રાનો ભકિતમય માહોલમાં થયેલો પ્રારંભ

Advertisement
Advertisement
Advertisement

વિશ્વ વિખ્યાત યાત્રાધામ પાલિતાણા ખાતે ચાર્તુમાસના ચાર માસ બાદ ગત અષાઢ સુદ પૂનમથી બંધ થયેલી પાવનકારી શેત્રુંજય ગિરિરાજની યાત્રા શુક્રવારે કાર્તિકી પૂર્ણિમાથી પુન શરૂ થઈ હતી.આજે જય આદીનાથના જય ઘોષ સાથે જય તળેટીથી હજારો ભાવિકાએ ભાવ અને ભકિતમય માહોલમાં મોટી યાત્રાનો શુભારંભ કર્યો હતો.

જેમાં જય તળેટીથી ચૈત્યવંદન કરી આગળ ઉપર બાબુનું દેરાસર, સમવસરણ મંદિર,પદમાવતી ટૂક, હનુમાન ધાર, ચૌમુખીની ટુક, હેમવસાહીની ટૂક, બાલાવરાહી ટૂક, ઉજકાબાઈની ટૂક, મોતીશાની ટૂક આવે છે. નવ ટૂકોમાં થઈને આગળ નવા રામપોળના રસ્તે થઈને સૌ પ્રથમ રામપોળ જવાય છે. અહીંથી પછી આગળ સાગળપોળ, વાઘણપોળ,અન્નપોળ, દાદાની પોળ આવે છે. આ પછી સૂરજકુંડ આવે છે. નવ ટૂકમાં મોહિની ટૂંકમાં અબદબદાદાની મોટી મૂત છે. તે ખૂબ જ મોટી હોવાથી અૂત આદિનાથ કહેવાય છે. પાછળથી લોકોએ તેને અબદબદાદા નામ પાડયું તેની પૂજા વર્ષમાં એક જ વાર થાય છે. અહીં પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન ૯૯૯ વાર સમોસર્યા હતા જે આ મહાતીર્થની પવિત્રતા દર્શાવે છે. જેમાંના ૨૪ તીર્થકરોમાંના ૨૩ તીર્થકરોએ આ મહાતીર્થની ભૂમિ પરથી વિશ્વમાં જૈન ધર્મનો મહામંગલકારી સંદેશો આપેલ છે. આ યાત્રા દરમિયાન ભાવિકો માટે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સાદા અને ઉકાળેલા પાણીની, તેમજ મેડિકલ કીટ સહિતની સુંદર સુચારૂ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. કાર્તિકી પુર્ણિમાની યાત્રાના પ્રારંભની સાથે જ શુક્રવારથી બહારગામથી આવનારા તમામ યાત્રીકો માટે ભાતાઘર પણ ખુલી ગયું હતું. આ યાત્રાનો ભાવિકો ઉપરાંત આચાર્ય ભગવંતો, મહારાજ સાહેબો, આરાધકો તથા શ્રધ્ધાળુ જૈનેતર સહીત હજારો ભાવિકો જોડાયા હતા. ૩,૭પ૦ પગથીયા ચડીને શીખર પર દર્શન કરવાથી આ યાત્રા બે માઇલની થાય છે.કાતકી પુનમથી શરૂ થતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.દરમિયાન કાર્તિકી પૂનમે કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યજીની ૯૩૬ મી જન્મજયંતિ પણ ઉજવાઈ હતી.

Related Articles

Total Website visit

1,502,227

TRENDING NOW