Friday, April 18, 2025

દર વર્ષની જેમ આ વખતે પણ સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

દર વર્ષની જેમ આ વખતે પણ સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન થયું હતું . સંસ્કૃત ભારતીના જિલ્લા સંયોજક (અને સાર્થક વિદ્યામંદિરના સંચાલક) કિશોરભાઈએ શુકલએ જણાવ્યું કે મોરબી જિલ્લાની કુલ 36 સંસ્થાઓના કુલ 6800 જેટલા સંસ્કૃત અનુરાગી વિદ્યાર્થીઓ ,વાલીઓ તેમજ શિક્ષકોએ પરીક્ષા આપી છે . સંસ્કૃત ભાષાના પ્રસાર પ્રચાર અને સંસ્કૃત વ્યવહારની ભાષા બને તે માટેના પ્રયત્નના ભાગરૂપે આ પરીક્ષાને ખૂબ સફળતા મળી રહી છે. સંસ્કૃત ભારતી મોરબી જિલ્લાના સહસંયોજક હિરેનભાઈ રાવલ , ગૌરવ પરીક્ષા સંયોજક ચિરાગભાઈ જોશી તેમજ જે તે શાળાના પ્રતિનિધીઓના આયોજનથી આ પરીક્ષા સફળ રીતે લેવાઈ હતી.

Related Articles

Total Website visit

1,502,028

TRENDING NOW