આજરોજ ૩૧ ડિસેમ્બર ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ટંકારાના તાલુકાના નસિતપર ગામે ૮ ફૂટ ઊંચાઈની પ્રતિમા સરપંચશ્રી રમેશભાઈ કુંડારિયા દ્વારા અનાવરણ કરવામાં આવ્યું .
જેનો તમામ ખર્ચ રમેશભાઈ કુંડારિયા દ્વારા આપવામાં આવ્યો જેનાં બદલ તમામ ગ્રામજનો એ રમેશભાઈ નો ખૂબ આભાર વ્યક્ત કર્યો
આ અનાવરણ કાર્યક્ર્મમાં સરપંચશ્રી રમેશભાઈ કુંડારિયા, ઉપસરપંચ શ્રી સુરેશભાઈ મેરજા, પંચાયતના સદસ્ય રમેશભાઈ આદ્રોજા,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નથુંભાઈ કડીવાર, સહકારી મંડળીના પ્રમુખ શ્રી મનોજભાઈ દેત્રોજા તેમજ બહોળી સંખ્યામાં ગામ નાં તમામ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા