મોરબી: વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તેમજ સાંજે સર્વજ્ઞાતિય ભોજન પ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરત ચલાવવામાં આવી રહ્યો છે.
ત્યારે મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી દ્વારા તેમના ૬૬ માં જન્મદિવસની પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં પ્રસાદ યોજવામાં આવ્યો હતો. તેમના જન્મદિવસની પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી હતી.