🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
મોરબી સર્વે હિન્દુ સંગઠન અધિકારી તથા કાર્યકર્તા ભાઈઓ બહેનોને ખાસ જણાવવાનું કે ગૌમાતા રાષ્ટ્ર માતા તરીકે પ્રસિદ્ધ થાય તારીખ તો.6 10 2024 ને રવિવાર સાંજે 5:00 વાગે મોરબી સર્કિટ હાઉસ એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ સંતો મહંતો અને સર્વે હિન્દુ સંગઠન દ્વારા રાખવામાં આવી રહી છે
ભારતમાં બહુમતી હિન્દુ ધર્માવલંબીઓ ગૌમાતાને ધાર્મિક આસ્થાનું પ્રતિક માને છે. વેદ, શાસ્ત્ર, પુરાણ,સ્મૃતિ વગેરે તમામ ધર્મશાસ્ત્રો ગાયને પશુ ગણવા માટે ના પાડે છે. આમ છતાં ભારત સરકારે ગૌમાતાને પશુની શ્રેણીમાં ગણી આ બાબતને બંધારણની કલમ ૪૮ હેઠળ રાજ્ય સરકાર નો વિષય બનાવેલ છે. વસ્તુત આ ધાર્મિક આસ્થાનો મામલો હોઈ એને બંધારણના અનુચ્છેદ ૨૫ હેઠળ સમાવેશ કરી કેન્દ્ર સરકારના વિષયમાં સમાવેશ કરવો અને સંપૂર્ણ ભારતમાં ગોવંશ હત્યા પ્રતિબંધિત કાનૂન બનાવી ગૌમાતાને પશુ શ્રેણીમાંથી હટાવીને ગોમાતા ને રાષ્ટ્રમાતા ના પદ ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવે.
આ માંગણીને લઇને ચારેય પીઠના શંકરાચાર્યોના નેતૃત્વ માં હિન્દુ સમાજ ગોમાતા રાષ્ટ્ર માતા પ્રતિષ્ઠા અભિયાન ચલાવે છે. જગદ્ગુરુ શંકરાચાર્યજીની અધ્યક્ષતા ગોસંસદ દિલ્હી ખાતે મળેલી જેમાં આ અગે રામાગો પ્રતિષ્ઠા સંહિતા વિધેયક પારીત કરેલ છે. બનાવવા સંપૂર્ણ પ્રયત્ન કરી આ પૂણ્ય કાર્યમાં સહભાગી બની ગોમાતા અને હિન્દુ જનતા આશીર્વાદ આપીને સહભાગી કાર્યમાં સંપૂર્ણ રીતે જોડાવા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગૌરક્ષક દળ ગુજરાત રાજ્ય હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મહાકાલ ગ્રુપ મોરબી દલવાડી કનૈયા ગ્રુપ શિવ શક્તિ સેવા સંગઠન અર્જુન સેના હિન્દુ જાગરણ મંચ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સંવેદના ન્યુઝ મોરબી ડિસ્ટ્રીક અને સર્વે હિન્દુ સંગઠન ના અધિકારી તથા કાર્યકર્તા ભાઈઓ બહેનો આપનો કિંમતી અને યોગ્ય સમય કાઢીને સર્કિટ હાઉસ સે સાંજે 5:00 વાગે અચૂક હાજર રહીને ગૌમાતા રાષ્ટ્રીય માતા પ્રતીક સહભાગી થવા નમ્ર વિનંતી