મોરબીમાં પાટીદારધામ કાર્યરત છે. આ સંસ્થા પાટીદાર યુવાન યુવતીઓને જી.પી.એસ.સી. આઈ.એ.એસ.તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવે છે. ત્યારે ગુજરાત રાજ્ય ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દિપીકાબેન સરડવાનો મોરબી માર્કેટ યાર્ડ ખાતે સન્માન સમારંભ યોજાયો હતો.
જેમાં મોરબી પાટીદારધામ સંસ્થાના પ્રમુખ સેવક કિરીટભાઈ દેકાવડીયા તેમજ મંત્રી નાનજીભાઈ મોરડીયા તેમજ અન્ય કાર્યકર બહેનો દ્વારા ડો.દીપિકાબેન સરડવા (પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ) કે જેઓ મોરબીના જ વતની હોય મોરબી માટે ગૌરવપ્રદ બાબત હોવાથી મોરબી ભાજપ મહિલા. મોરચા દ્વારા આયોજિત અભિવાદન સમારંભમાં પાટીદાર ધામ મોરબી દ્વાર સન્માન પત્ર અને શ્રીફળ આપી સન્માન કરવામાં આવેલ હતું.