Thursday, April 24, 2025

ખોખરા હનુમાન મંદિર (રંગપર-બેલા) ખાતે 72માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઇ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ખોખરા હનુમાનજી ધામ, બેલા-રંગપર, મોરબી ખાતે જિલ્લાકક્ષાના ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સવારે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે,  ઇ.સ. ૧૯૫૦માં કનૈયાલાલ મુનશીએ વનમહોત્સવ ઉજવણીની જાહેરાત કરી હતી. તેમજ જયારે કેન્દ્ર સરકારમાં પર્યાવરણ ખાતુ નવુ શરૂ કરવામાં આવ્યું ત્યારે તેને પ્રથમ મંત્રી તરીકે વાંકાનેર રાજવી પરીવારના દિગવિજયસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ હલાવી નાખી ત્યારે આપણે બધાને વૃક્ષોનું મહત્વ સમજાયું હશે. ગુજરાત ગ્રીન બને અને રણીયામણું બને એ માટે રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.   

આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતુ કે, કલાયમેન્ટ ચેન્જ થવાનું મુખ્ય કારણ વૃક્ષોની જાળવણી ઓછી થવાથી થાય છે. વૃક્ષોમાં જીવ છે તે વાત સંપૂર્ણ સત્ય છે. પહેલો વનમહોત્સવ અંબાજી ખાતે ઉજવામાં આવ્યો હતો. રાજય સરકાર પ્રયત્ન તો કરે જ છે પણ આપણે પણ આપણા ઘરના ફળીયામાં ખેતરમાં વૃક્ષો વાવા જોઇએ.

મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ કહ્યું હતુ કે, ભારતીયઓની સંસ્કૃતિ છે કે છોડમાં રણછોડ વસે છે. માનવીએ કુદરતી સંપતિનું રક્ષણ અને જતન કરવું જોઇએ. આપણા ભારતીય વૈજ્ઞાનિક જગદિશચંદ્ર બોઝે કહ્યું હતું કે, વનસ્પતિમાં પણ જીવ છે. આપણે માનવીના અસ્તિત્વ સાથે વૃક્ષોના અસ્તિત્વની પણ જાળવણી કરવી જોઇએ.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ જણાવ્યું હતુ કે, આપણે કોરોનાને જોયેલો અને અનુભવેલો છે તેથી આપણને વૃક્ષોના મહત્વ વિશે વધારે જાણકારી હશે. રામપરા વન ખાતે સિંહોના જિનેટીંક સંશોધન પણ કરવામાં આવે છે.

આ તકે પરમ પૂજય કનકેશ્વરીદેવીએ વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતુ કે, આપણુ શરીર પાંચ તત્વોનું બનેલુ છે તેથી આપણે દરેકે પાંચ વૃક્ષો વાવા જોઇએ.વૃક્ષો વગર અસ્તિત્વ શકય નથી. જીવશૃષ્ટીના અસ્તિત્વ સાથે વૃક્ષોનું પણ અસ્તિત્વ જોડાયેલું છે.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ મોરબી જિલ્લામાં પર્યાવરણના જતન અને સંરક્ષણ કાજે નિષ્ઠાપૂર્વક કામગીરી બદલ કર્તવ્ય જીવદયા કેન્દ્રનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન અને કાર્યક્રમના અંતે આભારવિધિ હળવદ આર.એફ.ઓ. પી.જે. જાડેજાએ કરી હતી.

આ કાર્યક્રમમાં રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મોરબી ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા હળવદ ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસવડા એસ.આર ઓડેદરા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, અગ્રણી સર્વે જયોતિસિંહ જાડેજા, કેશરીસિંહજી, અજયભાઇ લોરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Total Website visit

1,502,263

TRENDING NOW