
મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડો.પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન હેઠળ આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિતે સંતો-મહંતોનું પુજન કરવામાં આવ્યુ હતું.
જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, પોલાભાઈ પટેલ, નિર્મિત કક્કડ સહીતના અગ્રણીઓ દ્વારા શહેરના વિવિધ મંદીરોએ શિશ ઝુકાવી સંતો-મહંતોનું પુજન કરવામાં આવ્યુ હતું. તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના મંત્રી નિર્મિત કક્કડ યાદીમાં જણાવાયું હતું.
