Wednesday, April 23, 2025

મોરબીમાં જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે.

જે અંતર્ગત આગામી તા.4-08-21 બુધવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડોક્ટર્સ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા આપવામાં આવશે.

આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. કેમ્પનો લાભ લેવા માટે આગામી તા. 4-08-21 બુધવારના રોજ સવારે 9 થી 1 દરમિયાન શહેરના જલારામ પ્રાર્થના મંદિર, મોરબી ખાતે ઉપસ્થિત રહેવુ. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો.98250 82468, હરીશભાઈ રાજા મો.98792 18415, નિર્મિતભાઈ કક્કડ મો.99988 80588 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

Related Articles

Total Website visit

1,502,225

TRENDING NOW