શ્રીખોખરા હનુમાન હરિહર ધામમાં ચાલતી મોરબી જિલ્લાની એક માત્ર શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયનાં પ્રધાનાચાર્ય શ્રી દિપકભાઈ ભરતભાઇ મહેતાએ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાન ડૉ. શ્રી વાચસ્પતિ મિશ્રાજીના માર્ગદર્શન હેઠળ श्रीमद्भागवतस्य चतुर्थस्कन्धस्य प्रकाशितटीकानां व्याकरण दृष्ट्या परिशीलनात्मकमध्ययनम् । આ વિષય ઉપર *વિદ્યાવારિધિ* (પીએચ્.ડી.) ની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી મોરબી જિલ્લા તેમજ વિદ્યાલયનું ગૌરવ વધારેલ છે.તે બદલ મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ.માં શ્રીકનકેશ્વરી દેવીજીએ આશીર્વાદ સાથે પ્રસન્નતા પ્રગટ કરી હતી. તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા પણ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.