મોરબીના ભરતનગર ગામ પાસે અજાણ્યા વાહન સાથે અથડાતા કારચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ભરતનગર ગામ પાસે ગત તા.15ના રોજ ક્રિપાલસિંહ ક્રુષ્ણસિંહ જાડેજા ફોર્ચ્યુનર ગાડીનં. GJ-12-BM-9504 પૂરઝડપે ચલાવી પસાર થતા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહન પાછળ કાર અથડાતા તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ વિરેંન્દ્રસિંહ જિતેંદ્રસિંહ જાડેજા (રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી)એ ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી છે.