Wednesday, April 23, 2025

મોરબીના પાડાપુલ નીચે નદીમાંથી યુવકની લાશ મળી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં પાડાપુલ નીચે નદીના પાણીમાંથી યુવકની લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડની બાજુમાં લક્ષ્મીનારાયણ હોલ નજીકના વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા (ઉ.વ 35)ની ગઈકાલે તા. 18ના રોજ પાડાપુલ પરથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બાદમાં તેનો મૃતદેહ પાડાપુલ નીચે નદીના પાણીમાંથી મળી આવતા તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,225

TRENDING NOW