ટંકારાના રોહીશાળા ગામે કુવામાં પડી જતા મહિલાનું મોત.
ટંકારા તાલુકાના રોહીશાળા ગામે વાડીમાં આવેલ કુવામાં પડી જતા વાડીમાં કામ કરતા મહિલાનું મોત નીપજ્યું હતું જે અંગે ટંકારા પોલીસ મથક માં મૃત્યુનોંધ કરવામાં આવી હતી પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ઈલાબેન ગોપાલભાઈ મુંધવા (ઉ.વ.૩૫ રહે. રોહીશાળા ગામ) ગત.તા ૧૦-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે રોહીશાળા ગામે જેશાભાઇ ડાયાભાઇ પારીયાની વાડીમા આવેલ પાણી ભરેલ કુવામા પડી જતા ડુબી જતા ઈલાબેનનુ મોત નિપજ્યું હતું. તેણીનો લગ્ન ગાળો ૧૩ વર્ષનો હોય અને સંતાનમા બે દિકરા હોય અને સાસુ સસરા સાથે રહેતા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.